પોસ્ટ્સ

સફળતા અને સંપત્તિ માટે તમારા મનનું પ્રોગ્રામિંગ બદલો

છબી
તમારા મનનું પ્રોગ્રામિંગ બદલો Subconscious Re-wiring: How to Train Your Mind for Wealth and Success | સબકોન્શિયસ રી-વાયરિંગ: અમીરી અને સફળતા માટે મનનું પ્રોગ્રામિંગ બદલો શું તમારા મનનું 'સોફ્ટવેર' આઉટડેટેડ થઈ ગયું છે? "તમારું અચેતન મન (Subconscious Mind) એક બગીચા જેવું છે; જો તમે તેમાં સફળતાના ફૂલો નહીં વાવો, તો નિષ્ફળતાનું નકામું ઘાસ આપોઆપ ઉગી નીકળશે." શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ કેટલાક લોકો ખૂબ જ સરળતાથી અમીરી અને સફળતાને આકર્ષિત કરે છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકો દિવસ-રાત સખત મહેનત કરવા છતાં પણ એક જ જગ્યાએ અટકેલા રહે છે? આ તફાવત માત્ર નસીબ કે બુદ્ધિનો નથી. આનો અસલી રહસ્ય તમારા સબકોન્શિયસ બ્લુપ્રિન્ટ (Subconscious Blueprint) માં છુપાયેલો છે. એક NLP કોચ તરીકે હું હંમેશા કહું છું: તમારું જાગૃત મન (Conscious Mind) એ વહાણનો કેપ્ટન છે, પરંતુ તમારું અચેતન મન (Subconscious Mind) એ વહાણનું એન્જિન રૂમ છે. જો કેપ્ટન "અમીરીના ટાપુ" પર જવા માંગતો હોય, પરંતુ જો એન્જિનનું પ્રોગ્રામિંગ માત્ર "જીવતા રહેવા (Survival Mode)" માટેનું હોય, તો તમે ક્યારેય તમ...

શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: બેસ્ટ પરિણામ માટે બેસ્ટ વિચારો.

છબી
  શા માટે અમુક લોકો જીવનમાં ખૂબ શ્રેષ્ઠ પરિણામો મેળવે છે જ્યારે અમુક લોકો ખૂબ સંઘર્ષ કરે છે?   જાણો એ મનનું વિજ્ઞાન અને પોતાના જીવનમાં પણ તેનો ઉપયોગ કરી અનુભવ કરો. આપ સર્વને આપના શ્રેષ્ઠ જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શ્રેષ્ઠતાનું આંતરિક વિજ્ઞાન: વિચારો, અનુભૂતિ અને સફળતાના હોર્મોન્સ      શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમાન કુશળતા, સમાન શિક્ષણ અને સમાન વાતાવરણ હોવા છતાં બે વ્યક્તિઓના પરિણામો કેમ તદ્દન અલગ હોય છે? યાદ રાખો : બહારના સંસાધનો ક્યારેય તફાવત સર્જતા નથી; તફાવત હંમેશા આપણી અંદરની દુનિયાથી પડે છે. મેં  ઘણા પુસ્તકો વાંચ્યા અને સમજવાની કોશિશ કરી કે જે લોકો જીવનમાં અસાધારણ અને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરે છે, તેઓ તે પરિણામોને બહાર મેળવતા પહેલા પોતાની અંદર deeply (ઊંડાણપૂર્વક) વિચારે છે, અનુભવે છે અને જીવે છે. નેપોલિયન હીલ નું થિંક એન્ડ ગ્રો રીચ વાંચો.ડેલ કાર્નેગી,એન્ડ્ર્યુ કાર્નેગી,  ઇલોન મસ્ક,સ્ટીવ જોબ,બિલ ગેટસ,ધીરુભાઈ અંબાણી,રતન ટાટા, અમિતાભ બચ્ચન કે કોઈપણ તમારા માટે રોલ મોડલ હોય તે વ્યક્તિ લઈ લો ,,  વગેરે ને વાંચશો એટલે એમના વિચારોની પેટર્ન ખબર...

Love Yourself First , Know yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો,તમારી જાતને ઓળખો

છબી
  Love Yourself First - પહેલા તમારીજાતને પ્રેમ કરો.   * જો તમે તમારીજાતને એટલે કે 'સ્વ' ને ચાહશો ને તો જિંદગી જીતી જશો.  "આપણે આખી જિંદગી બીજાને ખુશ કરવામાં કે પ્રેમ કરવામાં વિતાવી દઈએ છીએ, પણ શું ક્યારેય અરીસામાં જોઈને પોતાની જાતને પૂછ્યું છે કે – હું મારી જાતને કેટલો પ્રેમ કરું છું?" આ બ્લોગ લખતા મારા વાંચનમાંથી એક વાત યાદ આવે છે તેનાથી શરૂ કરીએ.        એક ગ્રીક દંતકથા : ટૂંકમાં  જણાવું તો કથા મુજબ  નાર્સિસસ નામનો એક અત્યંત સુંદર અપ્સરા જેવો યુવાન હતો.તેની સુંદરતાના કારણે ઘણા લોકો તેના તરફ આકર્ષાતા, પરંતુ તે ખૂબ જ અહંકારી હતો અને દરેકના પ્રેમનો તિરસ્કાર કરતો હતો.એક દિવસ તે જંગલમાં પાણી પીવા માટે એક સ્વચ્છ તળાવ પાસે ગયો. તેણે પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ  જોયું.અને  તે પ્રતિબિંબ જોઈને તે પોતે જ પોતાના રૂપ પર એટલો મોહિત થઈ ગયો કે તેને ખબર જ ન રહી કે એ માત્ર તેનું પ્રતિબિંબ છે. તે તળાવ કિનારે બેસીને પોતાના જ રૂપને સતત જોતો રહ્યો તે પ્રતિબિંબને ભેટી શકાતું નહોતું, છતાં તે ત્યાંથી હટી શક્યો નહીં. પ્રેમના આ જુનૂન અને તડપમાં તેણે અન્...

જેઓ પોતાના વિશે Best વિચારે છે તેઓ શ્રેષ્ઠ પરિણામો આપે છે.

છબી
 "પોતાના વિશે શ્રેષ્ઠ વિચારવું" એ માત્ર એક હકારાત્મક અભિગમ નથી, પણ સફળતા મેળવવાનું એક શક્તિશાળી મનોવૈજ્ઞાનિક સાધન છે.    "આપણાં વિચારોથી જ ઘડાતાં આપણે,      જે વિચારતા તે જ બની જતાં આપણે." શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે મુશ્કેલીમાં હોવ છો, ત્યારે તમારી જાતને શું કહો છો? આપણાં વિચારો એ આપણાં  જીવનની 'બ્લુપ્રિન્ટ' છે. જેમ મકાન બનતા પહેલા તેનો નકશો કે બ્લુપ્રિન્ટ બને છે અને તે મુજબ એનું ચણતર થાય છે તેમ આપના મનમાં પહેલા આપણને જે જોઈએ તેના વિચારો કરવા જરૂરી છે અને તેમાં વિશ્વાસ પણ રાખવો જોઈએ. પોતાના પર કે તે વિચારો પર શંકા ન કરવી. કારણકે  "આ દુનિયામાં દરેક વસ્તુ બે વખત બને છે. પહેલા આપણાં મનમાં અને પછી બહારની દુનિયામાં." માનવજીવનઉત્કર્ષ અને વિકાસને લગતા ઘણા પુસ્તકો વાંચવાના શોખને લીધે મને ઘણું શીખવા મળ્યું છે અને સતત શીખી પણ રહ્યો છું. નાનપણથી જ ખૂબ જ ગરીબ પરિવારમાં ઘડતર અને જીવન જરૂરીયાતો માટે સંઘર્ષના દિવસો મે  જોયા છે. નાનપણથી જ હું મારા વિશે શ્રેષ્ઠ વિચારતો રહ્યો છું. સાથે અન્યો માટે પણ બેસ્ટ જ વિચારવાનું. પોતાના માટે બેસ્ટ અને બીજ...

અતિ સર્વત્ર વર્જયેત

છબી
 હાઇસ્કૂલમાં ભણતા ત્યારે સંસ્કૃતભાષામાં શ્લોક શીખવા મળતા. પરીક્ષા માટે શ્લોકનો  ગુજરાતી ભાવાનુવાદ કરવાનો થતો. સમજતા ખરા પણ પૂરા માર્કસ મેળવવા માટે ગોખી પણ લેતા.  આજે વર્ષો થયે ઉમર અને અનુભવના પડાવે ઘણી વાર કયારેક વિચાર આવી જાય અને એનો ખરો અર્થ સમજાય છે ત્યારે જીવનમાં ઘણી મજલ કાપી ચૂક્યા છીએ.  અતિ સર્વત્ર વર્જયેત   "કોઈપણ બાબતનો અતિરેક (અતિ) એ દરેક જગ્યાએ હાનિકારક છે,તેથી તેનો ત્યાગ કરવો જોઈએ." જો કે આ સિદ્ધાંતને સમજવા માટે એક પ્રખ્યાત પંક્તિ છે તે જોઈએ.  અતિ રૂપા ધૃતા સીતા, અતિ ગર્વેણ રાવણઃ।   અતિ દાનાત્ બલિર્બદ્ધો, અતિ સર્વત્ર વર્જયેત॥ અતિશય સુંદરતા : માતા સીતાની અત્યંત મનમોહક સુંદરતા અને પવિત્રતાને કારણે રાવણનું મન  વિચલિત થયું અને તેમનું હરણ થયું.  અતિશય અંહકાર : રાવણ મહાયજ્ઞાની અને પરાક્રમી હતો,પરંતુ  તેના  'અતિશય અંહકાર' અભિમાન ને કારણે આખી લંકા અને તેનો પોતાનો નાશ થયો.  અતિશય દાન: રાજા બાલી ખૂબ જ દયાળુ અને દાની હતા,પરંતુ પોતાની  પોતાની ક્ષમતાથી  બહાર જઈને 'અતિશય દાન આપવાના અહંકારને કારણે તેમણે પાતાળમાં જવું...

પ્રાર્થના કરવાની સાચી પધ્ધતિ

છબી
  તમે માંગો અને "તથાસ્તુ" થઈ જાય તો? મઝા પડી જાય.  થોડા દિવસો પહેલા મેં  મારા કુટુંબ સાથે ઘરે જ  PK મૂવી જોયું. તમે પણ જોયું જ હશે.  ઘણીવાર મને પણ અનુભવ થયા છે કે આપણને જે જોઈએ છે તે તો બીજાઓને સરળતાથી મળી જાય છે એમ લાગે છે.  આપણે મનુષ્યો એક અગોચર શક્તિથી ડરીને ચાલીએ છીએ કારણ કે આપણું આ મગજ અને બુધ્ધિ હજી પણ બ્રહ્માંડના ઘણાં રહસ્યોથી અજાણ છે. અને એવી શક્તિઓનો પ્રભાવ  અને ઘટનાઓ બને છે જે આપણાં સીધા નિયંત્રણમાં નથી તેથી ધાર્યા પરિણામ ન મળે એટલે આપણે કોઈ એવા રસ્તા - શોર્ટકટ શોધીએ છીએ જે આપણી મનની મુરાદો પૂરી કરી શકે.  ભગવાન તો આપે છે પણ તેને રીઝવવા માટે લોકો માનતા કે બાધા રાખે છે. કોઈ ઉપવાસ કરે છે કોઈ વ્રત રાખે છે. કોઈ વિધિઓ કે યજ્ઞો  કરાવે છે,કોઈ કથા અને દાન-મદદ  કરે છે . અનેક પ્રકારની પધ્ધતિઓ દ્વારા કર્મોના શુદ્ધિકરણની આ રીતે પુણ્યની કમાણી મોક્ષ પ્રાપ્તિ, સ્વર્ગનો હક કે જન્નત અપાવે એવી માન્યતાઓ સરળતાથી આપણા મગજને મનાવી લે છે અને આપણે એ ગેમના સભ્ય બની જઈએ  છીએ. અંહી ભગવાનના અસ્તિત્વ કે મોજુદગી પર શંકા કરવા વિષે નહીં પરંતુ આપણાં લોજીકલ...

યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ છે?

છબી
યુવાનોમાં વધતાં જતાં હાર્ટ એટેક માટે ખરેખર શું જવાબદાર છે? માત્ર ખોરાક ? આદતો કે બીજું પણ કંઇ  છે?        ગયા અઠવાડિયે અમારા મિત્ર એવા એક શિક્ષકનું હાર્ટ એટેકમાં સારવાર બાદ પણ ટૂંક સમયમાં જ મૃત્યુ થયું.તમને જાણીને નવાઈ લાગતી હશે,લોકો ચર્ચાઓ પણ ખૂબ કરે છે કે આટલી નાની ઉમરે અને હાર્ટ એટેક? કેવી રીતે?  કોઈ ખુશીના પ્રસંગોમાં, લગ્નોમાં નાચતા નાચતા કે ગરબા રમતા  ઢળી પડે છે અને ખબર પડે છે કે હાર્ટ એટેક આવ્યો. મારો એક મિત્ર કે જે વિમાનનો પાયલોટ હતો તે તેની નિયમિત ટેવ પ્રમાણે સવારે કસરત માટે જીમમાં ગયો અને એ લોબીમાં જ ફસડાય પડ્યો અને આ ફાની દુનિયા છોડી જતો રહ્યો. આવા તો કેટલાય સમાચારો-સમાચારપત્રો, ટીવી પર,મોબાઇલમાં દરરોજ આવે છે. ખરું કે નહી?. આ વિષય ખૂબ જ ગંભીર ધ્યાન ખેંચે તેવો છે અને ટોક ઓફ ધ ટાઉન કહી શકાય તે રીતે દરેક ટાઉનનો છે,દરેક ગામનો છે અને દરેક ઘરનો છે. કારણો ઘણા બધા હોઇ શકે છે. જ્યાં સુધી મેડિકલ સાયન્સની પ્રેકટીસ છે ત્યાં સુધી સામાન્ય જનતામાં એવી જ  વ્યાપક માન્યતા અને સમજ છે કે જેઓ મેદસ્વી હોય,બેઠાડું જીવન જીવતા હોય,ચરબી,તૈલી પદાર્થોયુકત આહાર...

શબ્દોની માયાજાળ: કેવી રીતે તમારી ભાષા તમારું નસીબ બદલી શકે છે?

છબી
  શબ્દોની માયાજાળ:  કેવી રીતે તમારી ભાષા  તમારું નસીબ બદલી શકે છે? મેં ઘણી વખત સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે લોકો જે રીતે વાતચીતમાં શબ્દોનો ઉપયોગ કરે છે તે મુજબ તેમના જીવનમાં પરિવર્તનો આવે છે. તેમની સફળતા કે નિષ્ફળતા માટે દૈનિક જીવનમાં વપરાતા શબ્દો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.  ક્યારેક ખૂબ જ ફેકુ માણસો પણ આગળ જતાં સફળતા પ્રાપ્ત કરી લે છે જ્યારે ખૂબ જ સિરિયસ અને મહેનતુ,પ્રામાણિક વ્યક્તિ પણ જીવનમાં પાછળ રહી જાય છે? તમને તમારી સાથે ભણતા કોઈ મિત્રોને યાદ કરીને આ બાબતનો અંદાજ આવી શકે છે? તમારામાંથી કોણ મારી આ વાત સાથે સહમત થાઓ છો? જરા કોમેન્ટ કરજો. તમારા  શબ્દો તમારા  જીવન પર કેટલી  પ્રભાવશાળી અસર ઉત્પન્ન કરે છે તે જાણવા માટે જરા અંહી વાંચો અને અપનાવી જુઓ.  ધારો કે તમારી પાસે દુનિયાનું સૌથી એડવાન્સ સુપર-કોમ્પ્યુટર છે. તમે તેમાં જેવો કમાન્ડ (Command) ટાઈપ કરશો, તે એવું જ પરિણામ આપશે. જો તમે ખોટો કમાન્ડ આપશો, તો સિસ્ટમ ક્રેશ થઈ જશે. શું તમે જાણો છો? તમારું અચેતન મન - અર્ધજાગૃત મન  (Subconscious Mind) પણ આ સુપર-કોમ્પ્યુટર જેવું જ છે, અને તમે રોજ જે...